
શ્રી વી.એસ. ગઢવી, નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી છે તથા સેોરાષ્ટ્રનાસુરેન્દ્રનગર જીલ્લાના વતની છે. તેઓ ઘણાં વર્ષોથી ગાંધીનગર રહે છે. તેમણે વહિવટી કામગીરી દરમ્યાન રાજકોટ, સુરત અને અમદાવાદ ખાતે જીલ્લા કલેકટરશ્રી તરીકે ફરજો બજાવી છે. તેમને રાજય સરકારશ્રીના સચિવ તેમજ અગ્રસચિવ તરીકે ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ કોર્પોરેશન ( જીએસએફસી), ગુજરાત વોટર સપ્લાય બોર્ડ, માહિતી વિભાગ, તેમજ ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) વગેરે જુદાં જુદાં વિભાગોમાં કામ કર્યુ છે. તેઓ જાન્યુઆરી-૨૦૧૩માં નિવૃત્ત થયા ત્યારે મહેસુલ વિભાગના અગ્રસચિવ તરીકે ફરજો બજાવતાં હતા. હાલમાં તેઓ રાજય માહિતી કમિશ્નરશ્રી તરીકે ફરજ બજાવે છે.
શ્રી ગઢવીને ગુજરાત તેમજ દેશના અન્ય રાજયોના લોક-સાહિત્યમાં તથા શ્રી રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓમાં વિશેષ રૂચી છે. તેમણે તેમની કારકિર્દી દરમ્યાન દેશ-વિદેશમાં અલગ-અલગ વિષયોની તાલીમ મેળવી છે. તેઓ ફુલછાબ દૈનિક તથા અખંડઆનંદમાં નિયમિત રીતે લખે છે.
******
રહેઠાણઃ
પ્લોટ નં.૧૧૫/૨,
સેક્ટર-૨-એ,
ગાંધીનગર.
Phone: 079-23244455
Email: vasantgadhavi@gmail.com
Wow!
Jivama’s blessings showered on us! Our fortunate country was full of selfless benevolent saints in countless numbers! Hats off to them & to u sir for this!