કવિ પિંગળશીભાઇની પાવન સ્મૃતિ :

               ભર્તુહરી મહારાજે તેમના યાદગાર શબ્દોમાં લખ્યું છે :જયન્તી તે સુકૃતિનો રસસિધ્ધા: કવિશ્વરા:       નાસ્તી યેશાં યશ: કાયે જરામરણજં ભયમ્.                        કવિઓ સર્જકો તેમના સર્જનથી લોકસ્મૃતિમાં જીવંત રહે છે. કાળના સતત વહેતા પ્રવાહમાં પણ તેમનું સાહિત્ય સર્જન જીવંત રહે છે, ધબકતું રહે છે. રામગિરિ પર્વત પર બેસીને મેધને સંદેશ આપતા યક્ષની કથાને ચિરકાળ યુવાની પ્રાપ્ત થયેલી છે.... Continue Reading →

: સંતવાણી સમીપે :: વચનના પૂરા ઇ તો નહિ રે અધૂરાં…:

મીરાંની મહેક આજે પણ એવીને એવીજ આકર્ષક તથા તરોતાજા લાગે છે. ગિરિધર ગોપાલ સાથે નાતો અનેક સંત – મહંતોએ જોડ્યો પરંતુ મીરાંની વાણીમાં આ અલૌકીક સંબંધ વિશેષ ઝળકી ઊઠ્યો. આ મહાસતી મીરાંની મધુર વાણીમાં અનેક ભક્તજનોને પોતાનીજ લાગણીનું પ્રતિબિંબ ઝીલાતું હોય તેમ લાગ્યું. જન-જનને મીરાંના પદો શ્લોક – મંત્રો આદિથી પણ વધારે સુલભ થયા ભજન... Continue Reading →

: ડૉ. રાધાક્રિષ્નનની પાવક સ્મૃતિ : 

મહાન વિચારક-ચિંતક પ્લટોએ ‘ફિલોસોફર કિંગ’ની જે કલ્પના કરેલી તે ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનને જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ૧૯૬૨માં શપથ લીધા ત્યારે જાણે કે પૂરી થઇ હતી. આવી જ કલ્પના ભારતીય શાસ્ત્રોમાં ‘રાજર્ષિ’ની પણ કરવામાં આવી છે. તે પણ ડૉ. રાધાક્રિષ્નનને સંપૂર્ણપણે લાગુ પડે છે. સર્વોતોમુખી પ્રતિભા ધરાવનાર આજીવન શિક્ષક   ડૉ. રાધાક્રિષ્નનને જે કાર્યો હાથ પર... Continue Reading →

: સંતવાણી સમીપે : નાથ! તમે નિર્ધનિયાનું નાણું : ત્રિકમ સાચવે ટાણું :

એક પ્રસિધ્ધ તથા પ્રાચીન દૂહો છે.  મોતીકણ મોંઘોકિયો સોંઘો કિયો અનાજ, તબ તુને મેં જાણીયો, તુ હૈ ગરીબ નવાઝ. ઇશ્વરની અસીમ કૃપા જગતના તમામ જીવ તરફ વાત્સલ્યભાવથી વહી રહી છે. પરંતુ આ વ્યાપ્પક જીવસૃષ્ટિમાં પણ છેલ્લામાં છેલ્લા જીવને નજરમાં રાખીને પ્રભુકૃપાનો પ્રસાદ સહજ રીતે પહોંચેછે. આ વાત શાસ્ત્રોએ કહી છે. ભક્ત કવિઓએ આવી ભગવતકૃપના જ... Continue Reading →

: પોતાવટ પાળવાવાળી, ભજાં તોય ભેળિયાવાળી :

ગિરા અરથ જલ બીચિ સમ,  કહિયત ભિન્ન ન ભિન્ન,  બંદૌ સિતા રામ પદ,  જિનહી પરમ પ્રિય ખિન્ન.  ભક્ત શિરોમણી તુલસીદાસજીએ કહેલું છે કે વાણી તથા અર્થ એ બન્ને નામ જૂદા છે પરંતુ વાસ્તવિક રીતે તેઓ ભિન્ન નથી. આજ પ્રકારે શિવ અને શક્તિ એક છે. આ સ્વરૂપની ઉપાસના કલ્યાણમય છે. માતૃસ્વરૂપા તત્વની ઉપાસના એ આપણો સમૃધ્ધ... Continue Reading →

: સંતવાણી સમીપે : ભાંગ્યા હોય એનો ભેરૂ થનારો, મેલાઘેલાંને માનનારો :

મહાત્મા ગાંધીનો જન્મદિવસ તથા નવરાત્રિની હવનાષ્ટમીના દિવસનો સુંદર સુયોગ છે. યજ્ઞની પાવક શિખા જેવું પવિત્ર તથા ઉજવળ જીવન જીવી જનાર મહાત્માની સ્મૃતિ દુનિયાના અનેક ભાગોમાં આજે તાજી કરવામાં આવે છે. વિશ્વના તે સમયના પ્રભાવી તથા શક્તિશાળી શાસન સામે નિ:શસ્ત્ર સંઘર્ષ કરીને મુક્તીનું ધ્યેય સિધ્ધ કરવાની મહાન સિધ્ધિ આજે પણ અહોભાવ ઉપજાવે તેવી છે. કવિઓએ બાપુનો... Continue Reading →

: સંતવાણી સમીપે : બળું ભલે પણ બાળું નહિ કોઇને, હે મા ! મને ખોળે લેજે : 

યા દેવી સર્વે ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા,  નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ ,  નમસ્તસ્યૈ નમો નમ:  નવરાત્રીના પવિત્ર આગમનને વધાવવાનો સમય છે. સામુહિક ઉલ્લાસના પર્વોનું આગવું સ્થાન આપણી જીવન જીવવાની પધ્ધતિમાં જોવા મળે છે. સમુહ પ્રાર્થનાનું વિશેષ મહત્વ ગાંધીજીએ પ્રસ્થાપિત કર્યું. આજ રીતે સમુલ્લાસ વ્યક્ત કરવાના પણ અનેક પ્રસંગો આપણે શોધ્યા અને અપનાવ્યા. બાળકૃષ્ણના જન્મને કેવી રીતે વધાવવો... Continue Reading →

: સંતવાણી સમીપે : વચનના પૂરા ઇ તો નહિ રે અધૂરાં…: 

મીરાંની મહેક આજે પણ એવીને એવીજ આકર્ષક તથા તરોતાજા લાગે છે. ગિરિધર ગોપાલ સાથે નાતો અનેક સંત – મહંતોએ જોડ્યો પરંતુ મીરાંની વાણીમાં આ અલૌકીક સંબંધ વિશેષ ઝળકી ઊઠ્યો. આ મહાસતી મીરાંની મધુર વાણીમાં અનેક ભક્તજનોને પોતાનીજ લાગણીનું પ્રતિબિંબ ઝીલાતું હોય તેમ લાગ્યું. જન-જનને મીરાંના પદો શ્લોક – મંત્રો આદિથી પણ વધારે સુલભ થયા ભજન... Continue Reading →

ઝાલાવાડનો જોગી

કળાયેલ મોરના પ્રાકૃતિક સૌંદર્યની યાદ અપાવે તેવું વ્યક્તિત્વ બાબુભાઇ રાણપુરાનું હતું. હંમેશા તરોતાજા અને મસ્તીમાં તરબોળ. તેમની વિદાય માત્ર સૌરાષ્ટ્રમાં નહિ પરંતુ ગમે તે સ્થળે વસતા લોકસાહિત્યના પ્રેમીજનને આંચકો આપી ગઇ. આથી જ ગાંધીનગરના ટાઉનહોલમાં વિશાળ જનસમૂહે બાબુભાઇ સહિત સાહિત્યમાં પ્રદાન કરીને વિદાય લેનારા લોકોને અભૂતપૂર્વ હાજરી વચ્ચે અશ્રુભિની આંખે સ્વરાંજલિ આપી. ભગતબાપુ (કવિ શ્રી... Continue Reading →

: પારાશર્યનું પાવન સ્મરણ :

મુકુન્દરાય વિ. પારાશર્યની આ જન્મ શતાબ્દીનું વર્ષ છે. (૧૯૧૪-૧૯૮૫) ભાવેણાની આકાશગંગામાં અનેક તેજસ્વી તારકોનું દર્શન થાય છે. તેમાં માત્ર અને માત્ર પ્રજાના કલ્યાણના હેતુનેજ સાધ્ય માની રાજ્ય ચલાવનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે તો છેવાડાના માનવીને દેવ ગણીને તેની સેવામાંજ જીવન ખર્ચી નાખનાર ઠક્કરબાપા પણ છે. આજે પણ જાહેર વહીવટમાં જેમના વિચારો પ્રસ્તુત તથા પ્રાસંગિક છે તેવા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑