: સંસ્કૃતિ :: કાગધામમાં મધુરાં માનસગાન :

       પૂ. મોરારીબાપુનું મજાદરમાં તા.૨૧ ફેબ્રુઆરી-૨૦૧૫ થી પ્રારંભ થતું માનસગાન એ એક ઐતિહાસિક ઘટના બનશે તેવી લાગણી ઘણાં કાગ-પ્રેમીઓ તથા અનેક સાહિત્ય પ્રેમીઓની છે. પૂ. બાપુ જ્યાં જ્યાં તુલસીકૃત રામાયણની જીવન દર્શક તથા પોષક વાતો કરે છે તે દરેક પ્રસંગ જો કે અનન્ય છે. પરંતુ જ્યાં કાગના સાહિત્ય સર્જનની સુગંધ હજુ પણ માટીમાં મહોરે છે... Continue Reading →

: સંતવાણી સમીપે :: પ્રેમી તળાવ તણાં હે પાણી ! સાથ મળી સંપી રહેજો :

       કવિ શ્રી દુલા ભાયા કાગ કે જેમને ગુજરાત ભગતબાપુના વહાલસોયા નામથી ઓળખે છે તેમની અમદાવાદની મુલાકાત બાબતમાં સુવિખ્યાત સર્જક શ્રી જયભિખ્ખુએ (શ્રી બાલાભાઇ વીરચંદ દેસાઇ) એક મજાની વાત લખી છે. શ્રી જયભિખ્ખુને ત્યાં કવિશ્રીનો ઉતારો રહેતો અને બન્નેને પરસ્પર અનન્ય સ્નેહ હતો. શ્રી જયભિખ્ખુ કહે છે કે કોકિલના માળામાંથી કવિતા સાંભળવા મળે તે તો... Continue Reading →

: સંતવાણી સમીપે :: હરિનો મારગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને :

              મુંબઇમાં એક શ્રીમંત, જૈફ વયના તથા દયાળુ મહિલાના બંગલે એક સંન્યાસી ભોજન ગ્રહણ કરવા બેઠા છે. એકાએક કોઇ વિચાર આવતા આ સન્યાસી ભોજનની પિરસેલી થાળી પરથી ઊભા થઇ જાય છે. સામાન્ય રીતે શાંત દેખાતા સન્યાસીના મુખ પર ફેલાયેલી વેદના અનુભવી યજમાન માતા વાંચી શકે છે. આમ એકાએક ભોજનની થાળી પરથી ભોજન લીધા સિવાય ઊભા... Continue Reading →

: શતાબ્દી વંદના : કવિ પિંગળશીભાઇ લીલા :

ભર્તુહરી મહારાજે તેમના યાદગાર શબ્દોમાં લખ્યું છે :  જયન્તી તે સુકૃતિનો રસસિધ્ધા: કવિશ્વરા: નાસ્તી યેશાં યશ: કાયે જરામરણજં ભયમ્. કવિઓ સર્જકો તેમના સર્જનથી લોકસ્મૃતિમાં જીવંત રહે છે. કાળના સતત વહેતા પ્રવાહમાં પણ તેમનું સાહિત્ય સર્જન જીવંત રહે છે, ધબકતું રહે છે. રામગિરિ પર્વત પર બેસીને મેધને સંદેશ આપતા યક્ષની કથાને ચિરકાળ યુવાની પ્રાપ્ત થયેલી છે.... Continue Reading →

: સંતવાણી સમીપે : પ્રેમી તળાવ તણાં હે પાણી ! સાથ મળી સંપી રહેજો :

કવિ શ્રી દુલા ભાયા કાગ કે જેમને ગુજરાત ભગતબાપુના વહાલસોયા નામથી ઓળખે છે તેમની અમદાવાદની મુલાકાત બાબતમાં સુવિખ્યાત સર્જક શ્રી જયભિખ્ખુએ (શ્રી બાલાભાઇ વીરચંદ દેસાઇ) એક મજાની વાત લખી છે. શ્રી જયભિખ્ખુને ત્યાં કવિશ્રીનો ઉતારો રહેતો અને બન્નેને પરસ્પર અનન્ય સ્નેહ હતો. શ્રી જયભિખ્ખુ કહે છે કે કોકિલના માળામાંથી કવિતા સાંભળવા મળે તે તો જગપ્રસિધ્ધ... Continue Reading →

: સંતવાણી સમીપે : વાલા ! તે દી ધ્રૂજશે વાણી : પ્રભુ તુને પૂછશે પ્રાણી :

દરેક માનવીને શુભ વિચારો તો આવતા હશેજ કારણ કે ઋષિઓએ માનવીને ‘‘અમૃતનો પુત્ર’’ ગણેલો છે. જ્યાં પણ તક મળે ત્યાં કંઇક શુભ કરવાની, સારું કરવાની માનવીની વૃત્તિ તેના જીવનને એક ગરિમા તથા ખૂમારીનો અનુભવ કરાવે છે. રક્તદાનની જે પ્રવૃત્તિ ગુજરાતમાં થાય છે તેના પ્રમાણની પ્રશંસા તથા તે પરત્વેનો અહોભાવ ઠોસ આંકડાઓ સાથે અવારનવાર માધ્યમોમાં ચમકે... Continue Reading →

: સંસ્કૃતિ : ‘‘ દુલેરાય દેશનો દીવો : ક્રોડુ જૂગ કાગ ભઇ ! જીવો ! ’’ :

અડધી સદી પહેલાં આજે પણ ખોબા જેવડું લાગતું ગોકળિયું ગામ મજાદર કેવું હશે ! એ સમયે (૧૯૬૩ માં) આ નાના ગામના આભથી ઊંચેરા કવિનું આમંત્રણ સ્વીકારીને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની મંડળી મજાદરમાં પહોંચી. પુણ્યશ્લોક રવિશંકર મહારાજે સમગ્ર પ્રદેશ – મજાદર ગામ તથા કાગ પરિવાર તરફથી સાહિત્યકારોને ભાવથી આવકાર્યા. ગામડાની ધૂળના ફૂલો તરફ મહેમાનોનું મહારાજે ધ્યાન... Continue Reading →

: સંસ્કૃતિ : વાવાઝોડા કાળના વાશે : બાપુ ! તારી વાટ જોવાશે :

૧૯૧૬ માં મળેલ લખનૌ કોંગ્રેસમાં એક વક્તા અન્ય વ્યક્તાઓથી જૂદા તરી આવ્યા. આવું એટલા માટે બન્યું કે આ વક્તાએ લાંબાલચક ભાષણકર્તાઓના સમૂહ વચ્ચે ટૂંકું તથા મુદ્દાસર પ્રવચન કર્યું. એટલુંજ નહિ પરંતુ પ્રવચન હિન્દુસ્તાની (હિન્દી) ભાષામાં કર્યું ! શ્રોતાઓએ અંગ્રેજીમાં બોલવા આગ્રહ કર્યો એટલે બેરિસ્ટરનો વ્યવસાય સ્વેચ્છાએ છોડીને આવેલા આ વક્તાએ શ્રોતાઓનેજ પડકાર્યા. તેઓ શ્રોતાઓને ઉદ્દેશીને... Continue Reading →

: સંસ્કૃતિ : ‘‘મહાગુજરાત આંદોલનના યાજ્ઞિક : ઇન્દુચાચા ’’

  મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલસ્વભાવનું વર્ણન કરતા લખે છે :  “ મારા વિશે કેટલાંકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઇ મેળવી શકતો નથી, પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું... મારો ધર્મ... Continue Reading →

: હમારી ખૂબ ખીલે ફૂલવારી :

“ ન હિ જ્ઞાનેન સદ્રશં પવિત્રમિહ વિદ્યતે ” ગીતાના ગાનારાએ સર્વ બાબતોની ઉપર જ્ઞાનનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. જ્ઞાનની શોધ અસીમ છે તથા નિરંતર છે. કોઇ અગ્નિહોત્રીના યજ્ઞની માફક આ કાર્યને સતત પ્રજ્વલિત રાખનાર સમાજ ઉન્નતિના માર્ગે આગળ વધતો રહે છે. આજના યુગમાં વિવિધ સાધનો તથા તેમાંયે ખાસ કરીને ઇન્ટરનેટની સરળ સુવિધાથી માહિતીની આપ-લેનું મુશ્કેલ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑