લોકની સ્મૃતિ ટૂંકી હોય છે તેવી એક માન્યતા લાંબા અનુભવ પછી સ્થાપિત થયેલી છે. પરંતુ ઘણાં કિસ્સાઓ આ માન્યતાથી અલગ પડે તેવા પણ જોવા મળે છે. બેગમ અખ્તરની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે. ગુજરાતથી દૂર – સુદૂર જન્મ લઇને અમદાવાદમાં છેલ્લા શ્વાસ ઘૂંટનાર બેગમના મખમલી અવાજને આજે પણ અનેક લોકો આદર સાથે યાદ કરે છે.... Continue Reading →
: સંતવાણી સમિપે : કાંટા રાને, લોહી નીગળતે ચરણે એકલો ધાને રે ! :
ધનતેરસનો દિવસ તો ફુલચંદભાઇએ ખૂબજ સુયોગ્ય પસંદ કર્યો હતો. નવા કાર્યનું મંગળચરણ કરવા ધનતેરસ એટલે તો વગર જોયું મુહૂરત ગણાય. નવું કાર્ય પણ ઉત્તમ હતું. સરસ્વતીના મંદિર – શાળાનું નિર્માણ કરવાનું કામ હતું. વીસમી સદીના પ્રારંભના પહેલા દસકાનો સમય હતો. (૧૯૦૬) એ સમયના ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો)માં શિક્ષણાના દીપ પ્રાગટ્યનું આ કાર્ય હતું. વ્યાપક જનસમૂહની જરૂરિયાત... Continue Reading →
: સંતવાણી સમિપે : બિસ્મિલ બેટાઓની માતાના ભાલે : મલકાયો કસુંબીનો રંગ :
અફાટ જળરાશીના અનેરા સૌંદર્યને માણતા બે મિત્રો દરિયાકાંઠાના ગામડાઓમાં ભટકતા હતા. એક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી તથા બીજા કવિ દુલા ભાયા કાગ. મહુવા (ભાવનગર જિલ્લો)થી થોડે દૂર દરિયા કિનારે મેઘાણીભાઇએ એક દ્રશ્ય જોયું. રવિ પણ ન પહોંચી શકે ત્યાં કવિ પહોંચે એ ઉક્તિ પ્રમાણે મેઘાણીભાઇનું ધ્યાન એક જૈફ ઉંમરના માજી તરફ ગયું. આ વૃધ્ધ દેખાતા મહિલા... Continue Reading →
: સંતવાણી સમિપે : : બંદર છો દૂર છે : જાવું જરૂર છે :
દેશ હજુ તે સમયે આઝાદ થયો ન હતો. પરંતુ આઝાદીની ઉષા ગમે ત્યારે દર્શન દેશે તેવીશ્રધ્ધા અને વિશ્વાસ જનસમૂહમાં પ્રગટાવવાના અઘરા કામમાં ગાંધીજી સફળ થયા હતા. રાજાશાહીના યુગમાં કોઇ રાજવીનું વાહન સડક પર આગ્રહપૂર્વક ઊભું રખાવવા કોઇ પ્રજાજન પ્રયાસ કરે તે વાત ગળે ઉતરે તેવી નથી. પરંતુ અહીં જેનો સંદર્ભ છે તે નોખી માટીના માનવીની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : હેમુ ચંદન લાકડું : સળગીને દીયે સુવાસ :
વીસમી ઓગસ્ટ, ૨૦૧૫ના દિવસે અષાઢી કંઠના લોકગાયક હેમુ ગઢવીની વિદાયને અડધી સદી પૂરી થશે. કલાધરોના દેહ તો કાળની સ્વાભાવિક ગતિ પ્રમાણે મહાપ્રમાણ કરે છે પરંતુ તેમની કળા તથા કૌશલ્યની સ્મૃતિ લોકસમૂહમાં યુગો સુધી ધરબાયેલી રહે છે. માત્ર છત્રીસ વર્ષની ઉમ્મરે આ મીઠા અને ઘેઘૂર કંઠનો કસબી ગયો તેનો આંચકો સહન કરવો તે સાહિત્યના પ્રેમીઓને કપરો... Continue Reading →
: ધાંગધ્રાના ધર્મધામોની મહાઆરતી :
દરેક સ્થળને પોતાનો ઇતિહાસ હોય છે. જેમ કુદરતે તેના દરેક સર્જન નિરાળા તથા એકમેકથી ભિન્ન કરેલા છે તેમજ દરેક સ્થળ સાથે સંકળાયેલા પ્રસંગો પણ નોખા તથા અનોખા હોય છે. સ્થળોના ઇતિહાસની જાળવણી કરવામાં આપણે એક સમાજ તરીકે સક્રિય કે જાગૃત નથી. યુરોપના નાના નાના દેશોમાં પણ જેમ સ્થળો તેમજ તેની સાથે સંકળાયેલા પ્રસંગોની કડીબધ્ધ વિગતો... Continue Reading →
: સંસ્કૃતિ : નજરે બીજો નાવ તોઃ ‘પિંગલ’ શંભુપ્રસાદ :
ઓગસ્ટ માસમાં જેમની જન્મજયંતિ આવે છે તેવા વિચક્ષણ વહીવટકર્તા તેમજ સમર્થ ઇતિહાસકાર શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇની સ્મૃતિ સવિશેષ થાય તે સ્વાભાવિક છે. કુશળ વહીવટદાર તેમજ બહુશ્રુત વિદ્વાન શંભુભાઇએ સરકારી સેવામાં રહીને સંશોધનના પણ અનેક ક્ષેત્રોમાં યોગદાન આપ્યું. જૂનાગઢ રાજ્યની સેવાથી શરૂ કરી ભારતીય વહીવટી સેવા (આઇ.એ.એસ.) સુધીની તેમની કારકિર્દી ભાવી વહીવટકર્તાઓ માટે માર્ગદર્શક બને... Continue Reading →
: સંસ્કૃતિ : ભોગાવાના તપસ્વીની ભાતીગળ ગાથા :
કચ્છના પંડિત શામજી કૃષ્ણવર્મા કે સૌરાષ્ટ્રના ઠક્કરબાપા તેમજ સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓનું નામ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ વીર પુરુષોના કાર્યોને કારણે સુવિખ્યાત થયું. આવા સુવિખ્યાત ક્રાંતિકારીઓ કે તેમના ચરિત્ર અંગે લોક સમૂહમાં સારી એવી જાણકારી પણ જોવા મળે છે. પરંતુ અનેક નાના મોટા ઘર દીવડાઓ કે જેમણે અમૂલ્ય પુરુષાર્થ કરીને આઝાદી મેળવવા માટેની લડતને... Continue Reading →
: સંસ્કૃતિ : વધી તોલે વાણીયા ! : તારી લેખણ મેઘાણી :
અનેક તેજસ્વી વીરલાઓની પાછળ તેમની કુટુંબ પરંપરાનો એક ઉજળો ઇતિહાસ પડેલો હોય છે. મેઘાણીભાઇને પોતાના માઉન્ટ સ્પિરિટમાં પણ આ બાબતના દર્શન થાય છે. મેઘાણીભાઇના કુટુંબના એક મોભી પ્રેમજી મેઘાણીની વાત લોકકવિ મેઘાણીએ લખી છે. કવિ કહે છે કે પ્રેમજી મેઘાણી ભાયાણી કાઠીઓના કામદાર હતા. એકવાર તેઓ ધાનાણી કાઠીઓના લાખાપાદરની બજારમાં ચાલ્યા જાય છે. બન્ને કાઠી... Continue Reading →
: સંસ્કૃતિ : હેમુ ચંદન લાકડું : સળગીને દીયે સુવાસ :
કલાકાર કલામય થઇને જીવતો હોય છે. કલા અને કલાકારને જૂદા તારવવા મુશ્કેલ છે. લોકસાહિત્યના કલાકારોને લોકોનો ભરપુર સ્નેહ મળ્યો તેનું કારણ સાહિત્યનના ઉમદા સત્વ ઉપરાંત લોકકલાકારોની સંવેદનશીલતા પણ છે. યાદ કરવો ગમે તેવો એક પ્રસંગ નોંધાયો છે. એક જૈફ ઉંમરના તથા સાધારણ સ્થિતિના દેખાતા મહિલા આકાશવાણી રાજકોટના ઉંબરે આવીને ઊભા છે. માજી પૂછે છે :... Continue Reading →