સુધાઓના મોરે મુક્તિ કોથા, મુક્તિ કારે કઇ, આમિ તો સાધક નઇ, આમિ ગુરુ નઇ. આમિ કવિ, આછિ ધરણીર અતિ કાછા કાછિ એ પારેર એયાર ધાટાય. (પાન્થ) ‘‘મને પૂછશોમાં કે મુક્તિ ક્યાં છે, મુક્તિ કોને કહું છું. હું તો સાધક નથી. નથી હું ગુરુ. હું છું – કવિ. હું રહું છું ધરતીની અતિશય નિકટ. – આ... Continue Reading →
: સંસ્કૃતિ : : મહારાજા કૃષ્ણકુમારસિંહજી – ભાવનગરની પાવન સ્મૃતિ :
મહારાજા ભાવસિંહજી (ભાવનગર)ને ત્યાં સંતાન ન હતું. મહારાજા તરફના સ્નેહાદરને કારણે અનેક લોકોએ મહારાજને ત્યાં સંતાનનો જન્મ થાય તે માટે પોતપોતાની રીતે વૃત રાખેલા હતા. સર પ્રભાશંકર પટ્ટણીનો પણ તેમાં સમાવેશ થતો હતો. ઇશ્વરકૃપાથી ભાવસિંહજીને ત્યાં પુત્ર જન્મ થયો. ઇ.સ. ૧૯૧૨ના મે માસની ૧૯ તારીખે સૂર્યોદયના શુભ સમયે પાટવી કુંવરનો જન્મ થયો. તેમનું નામ કૃષ્ણકુમારસિંહજી... Continue Reading →
: સંસ્કૃતિ : : હરિરસ : સંત કવિ ઇસરદાસજીની અમર રચના :
‘હરિરસ’ ના એક પ્રકાશન પ્રસંગે લખાયેલા નીચેના શબ્દો આ ગ્રંથની મહત્તા તેમજ તેને પૂર્ણત: સમજનારની વિદ્વતા તરફ સન્માનની લાગણી કરાવ્યા સિવાય રહેશે નહિ. ‘‘ ઇસરદાસજીની અનેક રચનાઓ પૈકી આ રચનાનું પ્રકાશન કરતી વખતે એક વિલક્ષણ અનુભવ થાય છે. મનમાં એક સંકોચનો ભાવ પણ છે. કદાચ એવું ન થાય કે આ મહાન ભક્તકવિની ઉત્કૃષ્ટ રચનાનું પ્રકાશન... Continue Reading →
: કાન્તીકાકાની સાર્થક જીવનયાત્રા :
કાન્તીકાકા ગયા એ કચ્છ તથા ગુજરાતને પડેલી ભારે ખોટ છે. તે પૂરી શકાય તેવી નથી. એક ઉદ્યોગપતિ તરીકે સમગ્ર સમાજની સર્વાંગી ઉન્નતિનો વિચાર એ કાકાના શ્વાસોશ્વાસમાં વણાયેલો હતો. તે વિચાર સાથે અખૂટ નિષ્ઠા તેમજ કાળજીપૂર્વકના આયોજન જેવી બાબતો અભિન્ન રીતે જોડાયેલી હતી. કચ્છમાં કે રાજ્ય સરકારમાં જુદા જુદા વિભાગોમાં કામ કરતા અને ત્યારપછી પણ કાકા... Continue Reading →
: સૂચિત શિષ્યવૃત્તિ યોજના :
‘નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ’ તરફથી ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધન તથા વિકાસ માટે વિચારવામાં આવેલી યોજનાનું સ્વાગત છે. આ દિશામાં કંઇક નક્કર કરવાની જરૂરિયાત આમ પણ ઘણાં સમયથી લાગ્યા કરતી હતી. યુનિવર્સિટીઓના ભાષાસાહિત્ય વિભાગો તરફ દ્રષ્ટિપાત કરીએ તો કારકિર્દીને કેન્દ્રમાં રાખીને એમ.ફીલ કે પી.એચ.ડી. કરનારા ઘણાં લોકો ધ્યાનમાં આવે છે. પરંતુ તેમાંના મોટા ભાગના લોકો ડૉકટરેટ... Continue Reading →
: સંસ્કૃતિ : : ‘‘સૌંદર્ય ઉપાસક તથા સત્યવક્તા : કવિ નાનાલાલ’’ :
કવિ નાનાલાલે કહેલી એક વાત ધ્યાન દઇને સાંભળાવા જેવી છે : ‘‘ આજે ગુજરાતમાં તથા ભારતમાં ચર્ચાતી એક વાત વિશે મારો અનુભવ કહું તો અસ્થાને ન ગણશો. અંગ્રેજી ભાષા ભણવી કે ન ભણવી ? કેટલાક કહે છે રાજભાષા છે (તત્કાલિન સંદર્ભ) માટે ભણો. મારે મન એ નબળી દ્રષ્ટિ છે. કેટલાક કહે છે જગત વ્યાપારની ભાષા... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિવર રવીન્દ્રનાથનું આપણી માતૃભાષામાં અવતરણ :
આમ તો કલકત્તા – બંગાળ સાથેનો ઝવેરચંદ મેઘાણીનો નાતો મે-૧૯૧૮થી બંધાયો હતો. મોટાભાઇ લાલચંદભાઇની બીમારીને કારણે મેઘાણીને ઓચિંતુ કલકત્તા જવાનું થયું. એમ.એ.નો અભયાસ ચાલુ હતો જે અધુરો રહ્યો. મોટાભાઇની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની વેચાણ કરતી દુકાન તેમણે સંભાળવાની રહેતી હતી. કલકત્તામાંજ ત્યાબાદ તેઓ ચોરવાડ (જૂનાગઢ જિલ્લો)ના વતની શેઠ જીવણલાલના વાસણો બનાવતા કારખાનામાં જોડાયા. કારખાનાનો કારોબાર મોટો... Continue Reading →
: જાત સાથે વાત : શુભ વિચારોનું ઉઘાડું આભ :
મનસુખ સલ્લાની ઓળખ ગુજરાતી ભાષા – સાહિત્ય સાથે ધરોબો ધરાવનાર લોકોને આપવાનો હોય નહિ તેમ કહું તો તે અતિશયોક્તિ નહિ ગણાય. મનુભાઇ પંચોળી (દર્શક) કે કેળવણીના ક્ષેત્રે અનોખી કામગીરી કરનાર નાનાભાઇ ભટ્ટ જેવા પુણ્યશ્લોક લોકોની વિચારધારાને મનસુખભાઇએ જીવનમાં – વ્યવહારમાં ઉતારી છે. તેનું મૂળ સ્વાભાવિક રીતેજ ગાંધીજી સુધી પહોંચે છે. ગાંધી નામથી એક તેજસ્વી દીપક... Continue Reading →
: સંસ્કૃતિ : : સતજુગિયા સાંઇ : કવિ મનુભાઇ ત્રિવેદી :
૧૯૧૪ થી ૧૯૭૨ વચ્ચે આપણી માતુભાષાના સાહિત્યકારો તેમજ ભાવકોએ એક તેજ લીસોટાનું દર્શન કર્યું. હજુ તો આ તેજ લીસોટાને પૂરો જાણીએ, માણીએ તથા પ્રમાણીએ ત્યાંજ ચન્દ્ર જેમ કાળી વાદળીના ઓછાયામાં આ તેજ લીસોટાને અદ્રષ્ય થતાં જોયો. અલબત્ત, તેના તેજનું પ્રતિબિંબ જે આપણે ઝીલ્યું તે સદાકાળ સ્મૃતિમાં રહે તેવું ભવ્ય તેમજ જાજ્વલ્યમાન છે. કવિ સરોદની ઓચિંતી... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિ કાગની ચેતનાને વંદનનો સોનેરી અવસર :
ફરી એક વખત આ વાસંતી વાયરાના ખુશનુમા માહોલમાં કાગના ફળિયે અસ્ખલિત રીતે મહોરતી કાગચેતનાનું વંદન ૧૭ માર્ચ ૨૦૨૧ના ધન્ય દિવસે (ફાગણ સુદ-૪) યોજવામાં આવ્યું. મોરારીબાપુએ તે દિવસનું નામાભિધાન ‘કાગચોથ’ તરીકે કરેલું છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને કાગ પરિવારે તેનું આયોજન મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવા નિર્ણય કર્યો હતો. દરેક વર્ષની માફક આ વર્ષે પણ સાહિત્યના કેટલાક... Continue Reading →