આ મહિનામાં જે મહામાનવની જન્મજયંતિ આવે છે તેવા રાજસ્થાનના ક્રાંતિકારી વીર કેશરીસિંહજીની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ઠાકુર કેસરીસિંહજી બારહઠ્ઠ ક્રાંતિવીરોના તારામંડળના એક તેજસ્વી તારક સમાન હતા. ઠાકુર સાહેબનો જન્મ ૨૧ મી નવેમ્બર, ૧૮૭૨ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી ઠાકુર કૃષ્ણસિંહજી ઇતિહાસના-મર્મજ્ઞ, લેખક તથા સમાજમાં પોતાની વિદ્વતાના કારણે વિશિષ્ટ આદરમાન ધરાવતા વ્યક્તિ વિશેષ હતા.... Continue Reading →
: સંસ્કૃતિ : ક્ષાત્ર તેજનું ખમીર : દરબાર શ્રી ગોપાલદાસ :
૧૯૨૦ માં મહાત્મા ગાંધી ટિળક સ્વરાજ ફંડ માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવ્યા. ફંડ ઉઘરાવવા માટે ઝોળી ફેરવવાની ગાંધીજીની એક અલગ પધ્ધતિ હતી તે જ રીતે વઢવાણની તે સમયની સભામાં પણ ઝોળી ફેરવવામાં આવી. આ ઝોળીમાં કોઇએ પગમાં પહેરવાનો ભારેખમ સોનાનો તોડો (એક પ્રકારનું ઘરેણું) પણ અર્પણ કર્યો. તોડો આપનાર કોણ છે તેની પૂછપરછ... Continue Reading →
: વહીવટી વિચક્ષણતાના મેરુ દંડ : સરદાર પટેલ :
આદિવાસી ભાઈ-બહેનોના ગીતોમાં સ્નેહ, મધુરતા તેમજ સચોટતાના ભાવ આબેહૂબ પ્રગટતા જોવા મળે છે. દેશની આઝાદીના ઉષાકાળે ગવાયેલા આવા ગીતો પૈકીના એક ગીતની બે પંક્તિઓ ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ‘‘ જવાહર સંભાળે દેશના સુકાન, વલ્લભ વીરલો ફેરવે આણ રે...’’ આ અર્થપૂર્ણ પંક્તિઓમાં કહેવાયું છે તેમ વલ્લભ વીરલાની આણ પ્રવર્તતી ન હોત તો આઝાદી મળ્યા... Continue Reading →
: દીપોત્સવમાં દીપ નિર્વાણ :
આચાર્ય શંકર (શંકરાચાર્ય), મહાવીર સ્વામી તથા કરૂણાનિધાન બુધ્ધની વિદાય પછી સમગ્ર સમાજને પોતાની ઓજસ્વી વાણી તથા વિચારધારાથી પ્રભાવિત કરનાર બે મહાન સન્યાસીઓના નામ હમેશા સ્મૃતિમાં આવે છે. સ્વામી દયાનંદ તથા સ્વામી વિવેકાનંદ એ બન્ને સન્યાસીઓએ જ્ઞાન તથા પ્રકાશની પ્રાપ્તિ સ્વબળે કરી. જ્ઞાનપ્રાપ્તિના તેમના માર્ગમાં કેટલીક અડચણો – મુશ્કેલીઓ આવી તો પણ આ બન્ને મહામાનવોની... Continue Reading →
:સંતવાણી સમીપે:: દિવાળીના દિન આવતા જાણી ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી :
શોષિતો તથા પિડિતોની વેદનાને સમજીને તથા તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરીને ગાંધીજીએ માર્ચ ૧૯૩૦ માં દાંકીકૂચનો પ્રારંભ કરતા પહેલા એક ઐતિહાસિક પત્ર બ્રીટીશ હિન્દના શાસક લોર્ડ ઇરવીનને લખ્યો. એક તરફ ભીષણ ગરીબી તથા બીજી તરફ અનિયંત્રિત અમીરી તરફ આંગળી ચિંધીને મહાત્માએ જણાવ્યું કે શાસનમાં સંવેદનશીલતાનો અભાવ છે. તેથી મીઠા જેવી જીવનજરૂરી વસ્તુ પર ગેરવાજબી હદે... Continue Reading →
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ
દુર્ગાપુજા તથા સર્વ સ્થળે જેનો વ્યાપ છે તેવા જગત જગનીની પુજાના પવિત્ર દિવસોની ઉજવણી હમણાં જ કરવામાં આવી. માનું સ્વરૂપ બાળકો માટે નિત્ય પ્રેરણારૂપ રહેલું છે. મા તરફથી કરુણા તથા વાતસલ્ય સાથે જ વીરતાની પ્રસાદી પણ સમાજને મળી છે. નિર્ભયતાનો મંત્ર મળ્યો છે. છત્રપતી શિવાજીના ઘડતરમાં જીજાબાઇનો ફાળો તે આ વાતની જ પ્રતિતિ કરાવે... Continue Reading →
: સંતવાણી સમીપે :: નાથ! તમે નિર્ધનિયાનું નાણું : ત્રિકમ સાચવે ટાણું :
એક પ્રસિધ્ધ તથા પ્રાચીન દૂહો છે. મોતીકણ મોંઘોકિયો સોંઘો કિયો અનાજ, તબ તુને મેં જાણીયો, તુ હૈ ગરીબ નવાઝ. ઇશ્વરની અસીમ કૃપા જગતના તમામ જીવ તરફ વાત્સલ્યભાવથી વહી રહી છે. પરંતુ આ વ્યાપ્પક જીવસૃષ્ટિમાં પણ છેલ્લામાં છેલ્લા જીવને નજરમાં રાખીને પ્રભુકૃપાનો પ્રસાદ સહજ રીતે પહોંચેછે. આ વાત શાસ્ત્રોએ કહી છે. ભક્ત... Continue Reading →
: સંતવાણી સમીપે : દિલમાં દીવો કરો રે : દિલમાં દીવો કરો :
નૂતન વર્ષને આવકારવાનો સમય છે. ભર્તુહરી મહારાજ કહે છે તેમ કાળ પસાર થતો નથી. આપણે જ પસાર થઇ રહ્યા છીએ. (કાલો ન યાતા વયમેવ યાતા) આપણું દૈનિક જીવન અનેક પ્રકારની વ્યસ્તતા વચ્ચે જોતજોતામાં પસાર થાય તે સ્વાભાવિક છે. આમ છતાં દરેક દિવસને એક નવી તાજગી હોય છે. કવિ શ્રી મકરંદ દવે કહે છે તેમ... Continue Reading →
: ભગવત ગુણ ભંડાર : સુકૃત્યોનું ગિરી શ્રુંગ : લોકહૃદયના સિહાસને બીરાજતા રાજવી
સાહિત્યની એક જાણીતી ઉક્તિનો પ્રયોગ કેટલાક વિદ્વાનોએ ડૉ. રાધાક્રિષ્નન, રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા ત્યારે કરી હતી. આ ઉક્તિ પ્રમાણે એવા દેશોનો વિકાસ થાય છે જ્યાં રાજા ફિલોસોફર હોય અને ફિલોસોફર રાજા હોય. આ વાત ડૉ. રાધાક્રિષ્નનના કિસ્સામાં જેમ યથાર્થ હતી તેજ રીતે આપણી માટીમાંથી પ્રગટેલા અને મહોરેલા રાજવી ભગવતસિંહજીને બરાબર બંધ બેસતી આવે છે. કોઇ... Continue Reading →
શુભેચ્છા – સંદેશ
પાટનગર પ્રકાશને દિવાળીના પવિત્ર તહેવારોના સંદર્ભમાં હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સમાચારપત્રોનો પ્રારંભ કર્યા બાદ તેને નિયમિત રીતે ચલાવવું તે મુશ્કેલ કાર્ય છે. તેવી જ રીતે પ્રકાશનનું ધોરણ તથા તેની સર્વગ્રાહિતા જાળવવાનું કામ પણ તેટલું જ મુશ્કેલ છે. પાટનગર પ્રકાશ આ બન્ને કસોટીઓમાં નક્કર રીતે સફળ થયું છે તેમ કહેવામાં અતિષ્યોક્તિ નથી. ભાઇશ્રી ભરતભાઇ કવિને પોતાની... Continue Reading →