: સંસ્કૃતિ : સહુ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું :

શુનિ સેઇ સૂર સહસા દેખિતે પાઇ દ્રિગુણ મધુર આમાદેર ધરા. કવિગુરૂ ટાગોર ઉપરની પંકિતઓમાં લખે છે કે એ સૂર સાંભળીને અમારી ધરા સહસા બમણી મધુર દેખાવા લાગી. બટુકભાઇ દિવાનજીના સુમધુર સંપર્કને કારણે સુવિખ્યાત કલાકાર કેસરબાઇનો અંતિમ સ્ટેજ પ્રોગ્રામ માણીને બહાર નીકળતા છબીકાર અશ્વિન મહેતાને કેસરબાઇનું ગાયન સાંભળીને કવિગુરૂના શબ્દોમાં વ્યકત થઇ છે તેવી જ લાગણી... Continue Reading →

: સોનલમા આભ કપાળી…. : પોતાવટ પાળવાવાળી : 

પૂ. આઇશ્રી સોનબાઇમાના આભ ઊંચેરા ચરિત્રને આલેખતા માતૃદર્શન વિશે વાત કરવાનું થાય ત્યારે આ પુસ્તકના વિમોચન પ્રસંગ સાથે સંકળાયેલી એક સુમધુર ઘટના જે સ્મૃતિમાં છે તે તરતજ યાદ આવે છે. ઘટના ૧૯૮૪ ના ઉત્તરાયણ પર્વ પહેલાની છે. આ ફરી ફરી વાગોળવી ગમે તેવી સત્ય ઘટનાની વાત પાટડીના મુ. શ્રી કનુભાઇ શામળે કરી છે. કનુભાઇ કહેતા... Continue Reading →

: સંસ્કૃતિ :: માટીની સુગંધના વાહક : બાબુભાઇ રાણપુરા :

       બાબુભાઇ રાણપુરાના વ્યક્તિત્વમાં કળાયેલા મોરના પ્રાકૃતિક સૌંદર્યની શોભા તથા ગરવાઇ હતા. બાબુભાઇએ જેમ જનસમૂહને સ્નેહ કર્યો છે તેમજ વિશાળ જનસમૂહે પણ રાણપુરાના અંતરના ઉમળકાથી ઓવારણા લીધાં છે. બાબુભાઇ રાણપુરા આપણાં લોકસાહિત્યની ઉજળી ધરોહરની મજબૂત કડી સમાન છે. અરવિંદભાઇ આચાર્યની વિદાય આપણને નજીકના ભૂતકાળમાંજ આંચકો આપી ગઇ. ગયા વર્ષેજ કુદરતે ભાઇ શ્રી રામજી વાણીયા જેવા... Continue Reading →

: સંતવાણી સમીપે :: મારે સાબુ તો થાવું ને જીવતર ખોવું : માનવીના ધોવા મેલ :

       સુપ્રસિધ્ધ ફિલ્મ દિગ્દર્શક કેતન મહેતાની ફિલ્મ ‘મિર્ચમસાલા’ ના અંતિમ દ્રષ્યો જે બાબુભાઇ રાણપુરા પર ફિલ્માવવામાં આવ્યા છે. તે જલદી વિસરી શકાય તેવા નથી. જે વ્યક્તિ, સમાજ, નગર કે પ્રદેશ પોતાનું સત્વ ગુમાવે તો તેનો આઘાત કેટલાક મર્મી લોકો સહન કરી શકતા નથી. આવોજ એક મર્મી આવી સ્થિતિ પોતાનીજ નજર સામે પોતાના ગામમાં જૂએ છે. આથી... Continue Reading →

: સંસ્કૃતિ :: શુભ્ર ખાદી વસ્ત્રોમાં નિષ્કલંક જીવન : જયાબહેન શાહ :

       વજુભાઇ શાહે કહેલા શબ્દો કાન માંડીને સાંભળવા જેવા છે :        ‘‘ રચનાત્મક કાર્યકર્તાઓએ ગંભીરતાથી વિચારવાનું તથા તપાસવાનું છે કે લોકો માટેના પ્રેમનું અખંડ ઝરણું તેમનામાં વહી રહ્યું છે ખરું ! જો તેમ ન હોય તો દીવા વિનાનું ઘર તથા પાણી વિનાના કૂવા જેવી એમની સ્થિતિ થશે. ’’ વજુભાઇની આ અર્થસભર શિખ થકી ઘણાં... Continue Reading →

: સંતવાણી સમીપે :: સાગરના ઘૂઘવાટે દીઠો : વાયુના સૂસવાટે દીઠો :

       ગુજરાત રાજ્યની સ્થાપનાના શુભ દિવસે જ પુસ્તક મેળાનું વિસ્તૃત આયોજન અમદાવાદમાં થાય તે સમાચાર ઉત્સાહપ્રેરક લાગે તેવા છે. અમદાવાદ મહાનગરપાલિકાના આયોજિત પ્રયાસોને કારણે તથા ગુજરાત યુનિવર્સિટીના સુવિધપૂર્ણ ઈન્ફાસ્ટ્રક્ચરને કારણે આ પુસ્તક મેળો વિશેષ આકર્ષક તથા અર્થસભર બને છે. નવી પેઢીમાં વિવિધ વિષયોના પુસ્તકોની વાચનની ભૂખ ઉઘડે તે દિશાના આ પ્રયાસને સાર્વત્રિક આવકાર મળે છે.... Continue Reading →

: સંતવાણી સમીપે : ધાવણ ધાવી લે મારા બાળ : પછી તારો રામ હશે રખવાળ :

માતૃભૂમિના મુકિત સંગ્રામમાં સક્રિય રીતે ભાગ લેવા માટે જેલમાં બંધક બનીને રહેતા હોવા છતાં પોતાની મસ્તી અને લાગણીયુકત જીવનશૈલીથી જેલ જીવનનો સમય વ્યતિત કરતા એક ગાંધીસેનાની સાને ગુરુજીના જીવનનો આ પ્રસંગ નોંધાયો છે. જેલની પોતાની ખોલીમાંથી તે જૂએ છે કે તેના કેટલાક સાથીઓ જેલના પ્રાંગણમાં આવેલાં છોડવાઓ પરથી ફૂલો તથા કળિઓ ચૂંટે છે. આમ તો... Continue Reading →

: સંતવાણી સમિપે : નથી રામ ભભૂતિ ચોળ્યે : નથી ઊંધે શિર ઝોળ્યે :

બહેનશ્રી જયાબહેન શાહના વિચારોનો પ્રવાહ અસ્ખલિત તેમજ વૈવિધ્યપૂર્ણ છે તેમ અનુભવી શકાય છે. વિચારો પણ સાંપ્રત સમયને અનુરૂપ તથા પ્રેરક હોય છે. જયાબહેન કહે છેઃ ‘‘બહેનોએ ફલોરેન્સ નાઇટીંગલ બનવાનો સમય આવ્યો છે. વિશ્વભરમાં વાત્સલ્ય, પ્રેમ, સમન્વય તથા શાંતિની સ્થાયી સ્થાપના બહેનો સિવાય કોણ કરી શકે ? રવિશંકર મહારાજ તેમની માર્મિક શૈલીમાં કહેતા કે બહેનો જયારે... Continue Reading →

: સંતવાણી સમીપે : જીવન અંજલિ થાજો : મારું જીવન અંજલિ થાજો :

બુલ્લેશાહે લખેલું છે :  માટી જોડા, માટી ઘોડા, માટીદા અસવાર, માટી માટીનૂ મારન લાગી, માટી દે હથિયાર ! બુલ્લેશાહની આ લાગણીનો - અનુભૂતિનો પડઘો સર્વોદયની વિચારધારાના સુવિખ્યાત સમર્થક દાદા ધર્માધિકારીના નિવેદનમાં પડતો જોઇ શકાય છે. જીવનના સંધ્યાકાળે દાદા પોતાની ડાયરીમાં એક નિવેદન લખી રાખે છે. દાદા લખે છે : ‘‘ જ્યાં મારું મરણ થાય ત્યાંજ... Continue Reading →

સંસ્કૃતિ :: સૌના દાદા : દાદા ધર્માધિકારી :

       ગાંધીયુગના અનેક વીરલાઓએ પોતાના શક્તિશાળી જીવન સેવા તથા સામાન્યતાના આવરણમાં જતનપૂર્વક ઢાંકીને રાખ્યા છે. તેમણે કદી પ્રસિધ્ધિની પરવા કરી નથી કે ટીકાની તમા રાખી નથી. સન્યાસીઓને પણ પ્રેરણા મળે તેવું સાંસારીક જીવન તેઓ નિષ્ઠાપૂર્વક જીવ્યા. તેમના વાણી તથા વ્યવહારમાં કદી પણ કોઇ ભિન્નતા જોવા મળતા નથી. વિનોબાજી કાર્યકરોની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ તથા મજબૂત કરવાના... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑