: ક્ષણના ચણીબોર : જીવન કહીં ભી ઠહરતા નહિ હૈ,તુફાંસે આંધીસે ડરતા નહિ હૈ :

જીવનના આઠ યાદગાર દાયકા વટાવીને ઊભેલી સ્વસ્થ સોફીયા લોરેનના સમાચારો સપ્ટેમ્બર ૨૦૧૫માં અનેક સમાચાર માધ્યમોમાં જોવા મળ્યાં. ૮૧ વર્ષની સોફીયા કહે છેઃ Retirement ! That’s terrible” કર્મ એજ જીવનની ફીલસૂફી આ કલાકારે જીવી જાણી છે. ૨૦ સપ્ટેમ્બર-૧૯૩૪માં રોમ-ઇટલીમાં જન્મ લેનાર આ વિશ્વ વિખ્યાત હસ્તીનું બાળપણ ખરાબ દશા તથા પ્રતિકૂળ સંજોગોમાં પસાર થયું હતું. બાપ તરફથી... Continue Reading →

: સંતવાણી સમીપે : મોત જેવા મોતને પડકારનારા કયાં ગયા ? :

પરાધીન દેશની પીડાનો કોઇ અંત હોતો નથી. ૧૯૨૪ના ડિસેમ્બરમાં બ્રિટીશ વાઇસરોય લોર્ડ રીડિંગની મુંબઇની મુલાકાતના માનમાં બ્રિટીશ સરકાર તરફથી ઝાકમઝોળ સ્વાગત તથા ઉત્સવની તૈયારી શરૂ કરવામાં આવી. ભારતના સ્વમાની નાગરિકોનું સ્વમાન ઘવાય તેવા આયોજનો થયા. આમ થાય તો જ સત્તાધીશો પોતાનું સ્થાન મજબૂત કરી શકે. સામાન્ય લોકોની રોજીંદી હાડમારી સાથે વિદેશી શાસકોને સ્નાન સુતકનો પણ... Continue Reading →

: સંતવાણી સમિપે : પગ પગ ભમ્યા પહાડઃ ધરા છાંડ રાખ્યો ધરમ :

બ્રિટીશરોની સત્તા તથા પ્રભાવનો સૂર્ય વિશ્વના અનેક ભાગો પર પથરાયેલો હતો. સ્વાધીનતાની વાત એ પરાધીન દેશના લોકોનું પ્રિય સ્વપ્ન હતું. અલબત્ત, આ સ્વપ્ન કયારે તથા કયા માર્ગે વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરશે તે બાબતમાં વ્યાપક અનિશ્ચિતતા હતી. અંગ્રેજો પોતાની સત્તાનો પ્રભાવ વિસ્તરે તથા  મજબૂત બને તે માટે નિરંતર પ્રયાસ કરતા રહેતા હતા. દેશની આ સ્થિતિની પૂર્વભૂમિકામાં... Continue Reading →

: સંતવાણી સમિપે : ઇન્સાની તખ્ત પર : કરાળ કાળ જાગે :

મા ની આરાધના કરવાના દિવસો છે. નવરાત્રીની ઝાકમઝોળ ગુજરાતના ખૂણે ખાંચરે જોઇ શકાય છે. શરદના મૃદુ વાયરાઓનું આગમન તેમજ નવરાત્રીની શક્તિ આરાધના સાથે દર્શકની પવિત્ર સ્મૃતિ થવી સ્વાભાવિક છે. પ્રાજ્ઞ પુરુષ દર્શક ઓક્ટોબર-૧૯૧૪ ના ઓક્ટોબરની ૧૫મી તારીખે સંસારમાં આવ્યા. તેમનું વિશાળ તેમજ બહુઆયામી સાહિત્ય તેમની જન્મ શતાબ્દિ બાદ આજે પણ નવરાત્રીના દિપોત્સવની જેમ પ્રકાશ પાથરી... Continue Reading →

: સંતવાણી સમિપે : ગરબે ઘૂમંત ગોરી મીઠી ગુજરાતણ :

ગુજરાતની ખ્યાતિને વિશ્વસ્તરે ઉજાગર કરવા માટેની કેટલીક બાબતો છે. તેમાંની એક બાબત ગુજરાતની નવરાત્રી તથા તેનો ગરબા મહોત્સવ છે. આઠમી માર્ચનો દિવસ એ વિશ્વના નારી આંદોલનના સંદર્ભમાં વિશેષ રીતે યાદ કરીને ઉજવવામાં આવે છે. પરંતુ માતૃ તત્વની સર્વોચ્ચ સ્થિતિ (supremacy) નું સહજ સંધાન આપણા સંસ્કારોમાં તેમજ આપણાં ઘડતરમાં પડેલું છે. નારી શક્તિએ કટોકટી તથા સંઘર્ષની... Continue Reading →

: સંતવાણી સમિપે : ઝીણાં મોર બોલે આ લીલી નાઘેરમાં :

લોકકલા તેમજ લોકસંસ્કૃતિ માટેનો અનુરાગ જેમને વતનની માટીની મહેકમાંથી જન્મેલો છે એવા જોરાવરસિંહ જાદવ આ મોંઘેરી કળાઓના સંવર્ધન તેમજ પ્રસાર માટે ભાતીગળ જીવન જીવી રહેલા છે. શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટ દ્વારા સ્થાપિત લોકસાહિત્ય એવોર્ડ-૨૦૧૫ શ્રી જોરાવરસિંહ જાદવને એનાયત કરવાનો નિર્ણય ઉચિત તથા આવકાર્ય છે. રામકથાના અમૃત ઝરણાં રેલાવનારા પૂ. મોરારીબાપુના વરદ્ હસ્તે આ એવોર્ડ... Continue Reading →

: સંતવાણી સમિપે : હૈયાના ઝરણાં નાનાને : સાગર જેવું બનાવો :

લગભગ એકસો દસ વર્ષ પહેલા વીરમગામથી લોકલ ટ્રેઇન પકડીને ઝાલાવાડના એક નાના એવા ગામડાનો યુવાન કાશી વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રયાણ કરે તેજ એક અનન્ય ઘટના છે. પરંતુ જ્યારે એ યુવાન પ્રજ્ઞાચક્ષુ છે તથા ભાગ્યેજ જીવનાં કોઇ લાંબી મુસાફરીનો તેનો પૂર્વ અનુભવ છે તેની જાણકારી થાય ત્યારે આ પડકારરૂપ પુરુષાર્થ કરનારની વીરતા તરફ અહોભાવ થવો... Continue Reading →

: સંતવાણી સમિપે : નવ પર નવ સ્વર દેઃ વીણા વાદિની વર દે :

માતૃભક્તિનું વરદાન માનવ સમાજનો એક અમૂલ્ય વારસો છે સંપ્રદાયોમાં કે કથાઓમાં શકિતના વિવિધ રૂપો તેમજ તેમની સાથે જોડાયેલા પ્રસંગો કે કિવદંતીઓની અનેક વાતો સાંભળવા મળે છે. શક્તિ આરાધનાનું આજકાલ જોવા મળતું સ્વરૂપ કેટલાક અન્ય તહેવારોની જેમ વધારે ઝાકઝમાળ તથા ભપકાયુક્ત થયું છે. સામાન્ય માનવી માટે તેમાં ભાગ લેવાનું ખર્ચાળ બન્યું છે. શેરીમાં ઓછા સાધનો તથા... Continue Reading →

સંતવાણી સમિપે : : સદન્યાય નીતિ સત્ય : એ બે રાજયની આયુષ છે :

આજના સંદર્ભમાં કેટલીક વાતો કદાચ ગળે ન ઉતરે તેવી લાગે તો પણ ગોંડલ મહારાજા ભગવતસિંહજી કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના જીવન તથા વહીવટની આવી વાતો એ વાસ્તવિક ઘટનાઓનો ઉજળો ઇતિહાસ છે. ગોંડલના મહારાજા સાહેબના દરબારગઢથી નજીકમાં જ રહેતા એક જૈફ ઉંમરના વિધવા મહિલાનો પુત્ર ખોવાઇ ગયો. માતા માટે તો સ્વાભાવિક રીતે જ આ પુત્ર એ... Continue Reading →

સંસ્કૃતિ : : મા ગબ્બરના ગોખવાળી : રંગમાં રંગતાળી :

મહાત્મા ગાંધી ૧૨ જૂન ૧૯૩૧ ના શુભ દિવસે સુરત જિલ્લાના મરોલીગામમાં  આશ્રમના મકાનની ભૂમિપૂજન વિધિ કરવા ગયા હતા. ભૂમિપૂજનની વિધિ પહેલા આ કાર્ય હાથ પર લેનારા મીઠુબહેનને બાપુ તેમની આદત પ્રમાણે વેધક પ્રશ્ન કરે છે : ‘મારા હાથે પાયો નખાવો છો તેની જવાબદારી સમજોછો ?’ તે સમયે ઓગણચાલીસ વર્ષના પારસી બાનુ મીઠુબહેન જવાબ વાળે છે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑