કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે ‘‘ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર... Continue Reading →
: માડી ! તુજને કોકજ જાણે ‘કાગ’ : કવિ કાગની રચનાઓમાં માતૃ ઉપાસના :
કવિ શ્રી દુલા ભાયા કાગ લખે છે : ‘‘ જે ધરતીએ આપણને ઝીલ્યા, જે ધરતીએ આપણને પોષ્યા તે ધરતીને યાદ ન કરીએ તો શા કામનું ? પ્રભુ, શક્તિ, મા આદિ જે બધું છે તેના ગુણગાન કરવા. એજ મુક્તિ છે એમ હું માનું છું. આથી મેં જગજનની મહામાયાના ગુણગાન કર્યા છે. ’’ મીઠા વિનાનું અન્ન લૂખું... Continue Reading →
: લાખેણા માડુ : લખુબાપુ :
મીઠપ વાળા માનવી જગ છોડી જાશે કાગા એની કાણ ઘરોઘર મંડાશે. લખુબાપુ ઓચિંતા જ ગયા એનો આંચકો સમગ્ર સમાજે અનુભવ્યો. ‘ બાપુ ’ નું સંબોધન હક્કથી પામેલા આ મર્મી માનવ અનેક દિકરીઓને માતૃતુલ્ય સ્નેહ આપીને ગયા. જૂનાગઢ છાત્રાલયમાં અભ્યાસ કરતી દિકરીઓની દુવાથી લખુભાઇ યુવાનને પણ શરમાવે એટલું કામ અને પરિશ્રમ મોટી ઉમ્મરે પણ કરતા હતા.... Continue Reading →
: વાટે…. ઘાટે…. : બીજાને કારણ જે બળે એનો વાંકો થાય નહિ વાળ :
ભાવનગરમાં સ્વામીરાવને મળવા કેટલાક યુવાનો આવે છે. તે સમયે ગાંધીજીની વિશ્વવિખ્યાત તથા અદ્વિતિય તેમજ અહિંસક લડતના અંતે દેશ આઝાદ થયો હતો. અનેક લોકોના રક્તરંજિત બલિદાન અને ઐતિહાસિક જાગૃતિ થકી મુક્તિનો સૂચક ત્રિરંગો લહેરતો થયો હતો. આઝાદી તો મળી પરંતુ તેનાથી દરેક સમસ્યાનો ઉકેલ આવી જવાનો ન હતો તે વાત ગાંધીજનોએ બરાબર સમજી હતી અને પચાવી... Continue Reading →
: વાટે…. ઘાટે…. : વિરલ સંસ્કારમૂર્તિ સમા રાજવી : નટવરસિંહજી :
પ્રસંગ તો નાનો છે પરંતુ તેમાં વિવેક તથા સૌજન્ય છલકતા જોવા મળે છે. આથીજ આ નાની લાગતી ઘટના ચિરસ્મરણિય બને છે. આ પ્રસંગ મહાકવી નાનાલાલ અને પોરબંદરના તત્કાલિન રાજવી નટવરસિંહજી વચ્ચેના સ્નેહાદરના સંબંધને પ્રગટ કરે છે. કવિ શ્રી નાનાલાલ પોરબંદર આવે છે. ભારત આ સમયે બ્રિટીશ હકૂમત હેઠળ પરાધિન હતું. સૌરાષ્ટ્ર – કચ્છના લોકો નાના... Continue Reading →
: સંસ્કૃતિ : : અમે તો જઇશું અહીંથી : આ અમારો ઉડાડ્યો ગુલાલ રહેશે :
‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે અને વિશ્વકોશ તો શુધ્ધ અને સંગીન માહિતીનો ભંડાર છે. ’’ સમગ્ર જીવનના નવનીત રૂપ આવો વિચાર કોઇક વિરલાજ કરી શકે. આવો વિચાર માનવીના વિચાર શક્તિની વિશાળતાનો પરિચય કરાવે છે. તેથી આવા વિચારનો તાદ્રશ અમલ કરનારનું... Continue Reading →
: વાટે…. ઘાટે…. : અમે તો જઇશું અહીંથી : આ અમારો ઉડાડ્યો ગુલાલ રહેશે :
‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે અને વિશ્વકોશ તો શુધ્ધ અને સંગીન માહિતીનો ભંડાર છે. ’’ સમગ્ર જીવનના નવનીત રૂપ આવો વિચાર કોઇક વિરલાજ કરી શકે. આવો વિચાર માનવીના વિચાર શક્તિની વિશાળતાનો પરિચય કરાવે છે. તેથી આવા વિચારનો તાદ્રશ અમલ કરનારનું... Continue Reading →
: સંસ્કૃતિ : માણસો તો આવે : માણસો તો જાય ! અહીં રહેશે સુગંધ એક ફૂલની :
કોઇ સુપ્રસિધ્ધ વ્યકિત પોતાના મરણ અંગે આવું નિવેદન છેલ્લી ઇચ્છા તરીકે લખીને રાખે એવી ઘટનાઓ ભાગ્યેજ બનતી હશે : ‘‘જહાં મેરી મૃત્યુ હો વહી યા નજદીક કી કિસી જગહ શરીર કા દહન કિયા જાયે. બિજલી સે દહન કી વ્યવસ્થા હો તો વહી દહન હો. (ત્રણ દાયકા પહેલાંનું લખાણ જ્યારે વીજળીથી મૃતદેહના દહનની ક્રિયા ખૂબ પ્રારંભિક... Continue Reading →
: સંસ્કૃતિ : : બીજાને કારણ જે બળે એનો વાંકો થાય નહિ વાળ :
ભાવનગરમાં સ્વામીરાવ (સરદાર પૃથ્વીસિંહ)ને મળવા કેટલાક શિક્ષિત યુવકો આવે છે. જે સમયે આ યુવકો સ્વામીરાવને મળે છે તે સમય સંક્રાંતિકાળનો હતો. ગાંધીજીની વિશ્વવિખ્યાત તથા અદ્વિતિય તેમજ અહિંસક લડતના અંતે દેશ આઝાદ થયો હતો. આઝાદીનું પ્રભાત માથા સાટે મેળવેલી મોંઘી વસ્તુ સમાન હતું. અનેક લોકોના રક્તરંજિત બલિદાન અને ઐતિહાસિક જાગૃતિ થકી મુક્તિનો સૂચક ત્રિરંગો લહેરતો થયો... Continue Reading →
: વાટે…. ઘાટે…. : અજીબ ઇલમ હૈ હમરે અંદર : કણકણ દેખો મસ્ત કલંદર :
કોઇપણ નગરની શોભા તેમાં વસનારા સારસ્વતોથી વૃધ્ધિ પામે છે. નગરના કેટલાક લોકો પોતાના આ સરસ્વતી ઉપાસકોનું સન્માન કરે તો એ પ્રસંગ સોનામાં સુગંધ મળે તેવો રૂડો દીસે છે. આવા એક શબદના એકનિષ્ઠ ઉપાસક અને સમર્થ સર્જક ચન્દ્રકાન્ત શેઠનું સન્માન અમદાવાદમાં ૧૪ મે ૨૦૧૬ના રોજ થયું તે આ બળબળતા ઉનાળે પણ શીતળતાનો અને સંતોષનો ભાવ પ્રગટાવે... Continue Reading →