: ક્ષણના ચણીબોર : ‘‘આપણે આપણાં નાગરિક ધર્મ બાબતમાં સજાગ છીએ ?’’ :

  એક પરીચિત અને સુશિક્ષિત યુવાનને તેના મોંઘા અને આધુનિક મોટરબાઇક સાથે બેઠેલો જોયો. એક જાણીતી આઇટી કંપનીમાં તે સારા પગારથી કામ કરે છે. ઓફિસ જવાના સમયે અને શેરીના અંદરના ભાગમાં તેને બેઠેલો જોયો તેથી નવાઇ લાગી. તેના મોં પર ગુસ્સા મિશ્રીત કંટાળાનો ભાવ જોતાં થોડું વિશેષ કુતૂહુલ થયું. નજીક જઇને પૂછ્યું : ‘‘ કેમ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : હાક વાગે પાછા નવ હઠીએ : બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ :

ગઢડામાં પરમ ભક્ત દાદા ખાચરના દરબારમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સહજાનંદ સ્વામી પોતાના બે તેજસ્વી શિષ્યો સાથે નિજાનંદથી બેઠા હતા. આ બે પ્રતાપી શિષ્યો સ્વામી મુક્તાનંદ તથા સ્વામી બ્રહ્માનંદ હતાં. જગતના કલ્યાણ માટે તથા આત્મ ઉન્નતિ માટે તેઓ સહજાનંદ સ્વામી સાથે વાર્તાલાપ કરતા હતા. મહારાજે તે સમયે જે વાત કરી તે સુપ્રસિધ્ધ વચનામૃતનો ભાગ છે. ઉપરાંત... Continue Reading →

ચારણી સાહિત્ય

ચારણી સાહિત્ય એ પ્રકૃતિ તથા પરમેશ્વરની આરાધના કરતું શાસ્ત્ર છે. આ સાહિત્યના મેઘધનુષી રંગોમાં વીરતાના પ્રસંગોનું પણ અનેરું મહત્વ છે. શૂરવીરો અને દાતારોને ચારણ કવિઓએ આરાધ્યા છે અને જીવતા જાગતા રાખ્યા છે. અન્ય સૌ કદાચ આ લોકોને વિસરી ગયા હોય તો પણ ચારણી સાહિત્યના કાળજયી પ્રવાહે સંતો અને શૂરોને ફરી ફરી જગત સાહિત્યના કેન્દ્રસ્થાને મૂક્યા... Continue Reading →

: …વાટે…ઘાટે… : સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ હક્ક છે : તે લઇનેજ જંપીશ :

‘‘ સ્વરાજ્ય એ મારો જન્મસિધ્ધ હક્ક છે અને હું તે લઇનેજ    જંપીશ ’’ એ સૂત્ર કોઇ વિધાન કરવા ખાતર વહેતું મૂકાયેલું ન હતું. આ સૂત્ર એ અવિરત સંઘર્ષ તથા સમર્પણના બળે કરવામાં આવેલો સિંહની ગર્જના સમાન પ્રભાવી નાદ હતો. સૂત્ર જગતના ચોકમાં નિર્ભયતાથી તથા છલોછલ આત્મવિશ્વાસથી રજૂ કરનાર નર કેસરી બાળગંગાધર એ ખરા અર્થમાં... Continue Reading →

: ….વાટે….ઘાટે…. : વધી તોલે વાણીયા : તારી લેખણ મેધાણી :

ભાવનગર જિલ્લાના સમુદ્ર કિનારાના સુપ્રસિધ્ધ નગર મહુવાથી ‘કતપર’ ગામ આમ તો ચાર માઇલ જેટલું થાય. ગામની બહેનો પગે ચાલીને કતપરથી મહુવા મજૂરી કામ કરવા જાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની કાળી મજૂરી કર્યા પછી પેટનો ખાડો માંડ પૂરાય. આથીજ ગામના લોકોએ મેઘાણીભાઇને કહ્યું કે ‘‘ મજૂરી ન કરે તો ખાય શું ? ’’ જીવતરની આ વરવી છતાં... Continue Reading →

: ….વાટે….ઘાટે…. :  હોય ના વ્યકિત ને એનું નામ બોલાયા કરે :

જોહાનિસબર્ગથી ડરબન જતા બેરીસ્ટર ગાંધીની આમ તો આ એક રૂટીન મુસાફરી જ હતી. તે મુસાફરી શરૂ થઇ ત્યારે તેની સાથે કોઇ વિશેષ ઘટના કે વિચાર સંકળાયેલા ન હતા. પરંતુ ભાવીના ગર્ભમાં આ મુસાફરી એક અજોડ તથા અદ્વિતીય ઘટના બની રહે તેવા છૂપા સંકેત હતા. કાળની ગતિ આમ પણ ન્યારી છે તે વાતની અહીં પ્રતિતિ થાય... Continue Reading →

: સંસ્કૃતિ : : આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે : : ઝીણા ઝરમર વરસે મેહ :

દન ગણંતા જેઠે ગયો કાળી ઘટા ઘન કાઢ એણી પેરે કાના આવજો ! આયો માસ અષાઢ. આપણો નાળ સંબંધ – આપણો સહજ સંબંધ પ્રકૃતિ સાથે અભિન્ન રીતે બંધાયો છે. અષાઢી બીજનો દિવસ કોરો જાય અને વરસાદ રાહ જોવરાવે ત્યારે તમામ લોકોને મનમાં કંઇક ખટક્યા કરે છે. જીવનમાં કંઇક ખૂટતું હોય, કશુંક ઓછું હોય તેવો ભાવ... Continue Reading →

: ક્ષણના ચણીબોર :  આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે : ઝીણા ઝરમર વરસે મેહ :

દન ગણંતા જેઠે ગયો કાળી ઘટા ઘન કાઢ એણી પેરે કાના આવજો ! આયો માસ અષાઢ. આપણો નાળ સંબંધ – આપણો સહજ સંબંધ પ્રકૃતિ સાથે અભિન્ન રીતે બંધાયો છે. અષાઢી બીજનો દિવસ કોરો જાય અને વરસાદ રાહ જોવરાવે ત્યારે તમામ લોકોને મનમાં કંઇક ખટક્યા કરે છે. જીવનમાં કંઇક ખૂટતું હોય, કશુંક ઓછું હોય તેવો ભાવ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : જુદી જિંદગી છે મિજાજે મિજાજે :

સંતવાણીની અસરકારતા તથા તેની વ્યાપક લોકસ્વીકૃતિ આજે પણ જીવંત તથા ધબકતી રહી છે. કવિ શ્રી હરિકૃષ્ણ પાઠક કહે છે તેમ મધ્યકાલિન સંતવાણીની ઉજળી પરંપરાની એક અભિન્ન કડીની જેમ ભક્તિકવિતા અર્વાચીન કવિતામાં પણ ઉતરી આવી છે. આવી ભજનવાણીના એક મીઠા સર્જક એટલે કવિ શ્રી મનુભાઇ ત્રિવેદી (સરોદ). (૧૯૧૪-૧૯૭૨) સ્વામીદાદા (સ્વામી આનંદ) પોતાની અનોખી શૈલિમાં લખે છે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : વધુ જીવાડ્યા વાણીયાં ! કંઇક મડદા મેઘાણી :

ભાવનગર જિલ્લાના સમુદ્ર કિનારાના સુપ્રસિધ્ધ નગર મહુવાથી ‘કતપર’ ગામ આમ તો ચાર માઇલ જેટલું થાય. ગામની બહેનો પગે ચાલીને કતપરથી મહુવા મજૂરી કામ કરવા જાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની કાળી મજૂરી કર્યા પછી પેટનો ખાડો માંડ પૂરાય. આથીજ ગામના લોકોએ મેઘાણીભાઇને કહ્યું કે ‘‘ મજૂરી ન કરે તો ખાય શું ? ’’ જીવતરની આ વરવી છતાં... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑