કચ્છનું નામ લેતાંજ એક ભાતીગળ પ્રદેશની સ્મૃતિ નજર સામે તરવરે છે. અનેક પ્રકારના સ્થાનિક પડકારોને ઝીલીને આ પ્રદેશના લોકોએ એક ઉજ્વળ તવારીખનું સર્જન કરેલું છે. કચ્છના અનેક ગામોને પોતાનો આગવો તથા ઉજળો ઇતિહાસ છે. આ ઇતિહાસની જાણકારી તથા તેની ઘટનાઓની વિગતો ભાવી પેઢીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ હમેશા આવકાર્ય તેમજ ઇચ્છનીય છે. આથી રાયધણપર ગામના અયાચી... Continue Reading →
: સંસ્કૃતિ :: જશનામી જડશે નહિ : જૈમલ તારી જોડ :
જેમલ બીજી જોડ નજરું નાખ્યે નો મળી સવસાચી સરમોડ, છોરું તું સોરઠ તણું કૈં જન્મ્યા કૈં જનમશે લેખક લાખ કરોડ, (પણ) જહનામી જડશે નહિ જૈમલ તારી જોડ. કવિ શ્રી દુલા ભાયા કાગ તથા બાપલભાઇ ગઢવીના ઉપરના અર્થસભર શબ્દોમાં જયમલ્લભાઇ પરમારની પ્રતિભાના દર્શન થાય છે. આપણાં સાહિત્યની શોભા વધારીને જનારા અનેક ધન્યનામ સાહિત્યકારો છે. આ બધા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : દેવ દીવાળીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :
વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : પગ પગ ભમ્યા પહાડ : ધરા છાંડ રાખ્યો ધરમ :
રાજસ્થાનના સુપ્રસિધ્ધ ક્રાંતિકારી કવિ કેસરીસિંહજી બારહઠ્ઠ (૧૮૭૨-૧૯૪૧) મા જગદંબાને પ્રાર્થના કરતા લખે છે : સંતાન સચ્ચે અભય હો તેરેહી તારન તરની હમ સામર્થ્યદે મા કર સકેં યહ સિધ્ધ ચારન બરન હમ બહોત સોયે ગાઢ નિંદ્રા ચાહતે જાગરન હમ સ્વાતંત્ર્યકી તુ મહાસાગર તેરે હી હૈ નિરઝરન હમ. વીરતા અને સામર્થ્યના આજીવન ઉપાસક ક્રાંતિકારી કવિ કેશરીસિંહજી (રાજસ્થાન)... Continue Reading →
: સંસ્કૃતિ : : દીપોત્સવના પર્વમાં તેજોમય દીપ સમાન મહર્ષિ દયાનંદની અનંતયાત્રા :
દીવાળીના શુભ દિવસે મહર્ષિ દયાનંદની ચિર વિદાયથી દેશના અનેક લોકો દિગમુઢ થયા હતા. ગુજરાતની ધરતી પર જન્મ ધારણ કરનાર આ વીર સન્યાસીની સિંહ હાકથી દેશના અનેક ભાગોમાં નવ જાગૃતિની લહેર પ્રગટ થઇ હતી. ધર્મ કે સંપ્રદાયના નામે ઢોંગ આચરીને અનેક નિર્દોષ ભાવિકોનું શોષણ કરનારો વર્ગ સ્વામી દયાનંદના તેજોમય વ્યક્તિત્વ તથા તર્કશુધ્ધ વાણીથી ભયભીત થયો હતો.... Continue Reading →
: સંસ્કૃતિ : : બયાને સાદગી સુનલો : ભલે ભૂપાલ ભગવત કી :
ગોંડલ રાજ્યના લોકોને જાણકારી હતી કે તેમના રાજવી બે ઘોડાની બગીમાં નગરયાત્રાએ નીકળતા હતા. પોતાના શાસનકાળમાં આ રાજવીને મોટરકારોની કમી ન હતી. પરંતુ ખુલ્લી બગીમાંથી ખુલ્લી આંખે નગરની દરેક બાબતનું વિશેષ સ્પષ્ટ દર્શન થઇ શકે. બગીની ઝડપ પણ કારના પ્રમાણમાં ઓછી હોય તેથી જે બાબતો જુએ તેની સુરેખ છાપ મનમાં નોંધી શકાય તેવી પણ આ... Continue Reading →
: સંતવાણી સમિપે : યહ પ્રસિધ્ધ લોહકા પુરુષ પ્રબલ :
સરદાર સાહેબ પૌરુષનું પ્રતીક હતા. નિર્ભયતાએ જાણે કે સરદાર સ્વરૂપે માનવ દેહ ધારણ કર્યો હતો. કવિ હરિવંશરાય બચ્ચનના શબ્દો યાદ આવે. યહી પ્રસિધ્ધ લોહકા પુરુષ પ્રબલ યહી પ્રસિધ્ધ શકિત કી શિલા અટલ હિલા ઇસે સકા કભી ન શત્રુ દલ પટેલ પર સ્વદેશ કો ગુમાન હૈ પટેલ હિન્દકી નિડર જબાન હૈ. આપણાં એક સંન્નિષ્ઠ આગેવાન બાબુભાઇ... Continue Reading →
: સંતવાણી સમિપે : સંત પૂજે હું પૂજાણોઃ સંત દુખવે હું દુખાણો રે :
સંતોનું સ્થાન તેમણે આપેલા ઉપદેશ સાથે તેમણે વિતાવેલા સેવામય ઉજળા જીવનને કારણે સમાજમાં દૃઢ થયું છે. ‘‘ બે રોટી અને એક લંગોટી’’ ના ધણી એવા સંતોએ આપણી જીવન તરફની શ્રધ્ધાનું સર્જન તેમજ સંવર્ધન કરેલું છે. સ્વામી આનંદ આવા સાધુ સંતોની જમાતના અનેક પાત્રોની ઓળખ આપતી વખતે તે લોકોને ‘‘મારા પિતરાઇઓ’’ કહીને ઓળખાવતા હતા. સ્વામીદાદાએ પોતાના... Continue Reading →
: સંસ્કૃતિ : : જયપ્રકાશ કા બિગુલ બજા, તો જાગ ઊઠી તરુણાઇ હૈ :
દુર્ગાપુજાના પવિત્ર દિવસોમાં હજારીબાગ જેલની ઊંચી તથા તોતીંગ દીવાલો સામે કેટલાક કેદીઓ વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોતા હતા. લગભગ ૧૭૦૦ ફૂટની ઊંચાઇએ આવેલી તથા આસપાસ ગાઢ જંગલથી ઘેરાયેલી આ જેલ બ્રિટીશ સત્તાધિશોના મતે ‘‘સેઇફ’’ હતી. અહીંથી કોઇ કેદી ભાગી શકે તે અશક્યવત્ હતું. પરંતુ જયપ્રકાશ નામધારી એક સ્વાતંત્ર્ય સેનાની જેઓ જેલમાં હતા તે તથા તેમના સાથીઓ જૂદી... Continue Reading →
: સંસ્કૃતિ : : મદ ના કર મનમેં મિથ્યા ધનમેં જોર બદનમે જોબનમે :
લોકસાહિત્યના આજીવન ઉપાસક અને ભાતીગળ કથા-કાવ્યોના સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી હમેશા એ વાતની ચિંતા કરતા કે વાત માંડનારા – વાર્તા કરનારા કસબીઓ ઓછા થતા જાય છે. મેઘાણીભાઇની ચિંતા સકારણ હતી. સમગ્ર શ્રોતાગણને પોતાની કહેણીની શૈલીથી ઝકડી રાખે તેવા મેઘાણંદબાપા જેવા વાર્તાકારો શોધવા જઇએ તો પણ મળે તેમ નથી. આથી આ ચિંતાની વાત તથા પોતાની લાગણી... Continue Reading →