: વાટે….ઘાટે…. : દીપોત્સવના પર્વમાં તેજોમય દીપ સમાન મહર્ષિ દયાનંદની અનંતયાત્રા :

દીવાળીના શુભ દિવસે મહર્ષિ દયાનંદની ચિર વિદાયથી દેશના અનેક લોકો દિગમુઢ થયા હતા. ગુજરાતની ધરતી પર જન્મ ધારણ કરનાર આ વીર સન્યાસીની સિંહ હાકથી દેશના અનેક ભાગોમાં નવ જાગૃતિની લહેર પ્રગટ થઇ હતી. ધર્મ કે સંપ્રદાયના નામે ઢોંગ આચરીને અનેક નિર્દોષ ભાવિકોનું શોષણ કરનારો વર્ગ સ્વામી દયાનંદના તેજોમય વ્યક્તિત્વ તથા તર્કશુધ્ધ વાણીથી ભયભીત થયો હતો.... Continue Reading →

: વાટે….ઘાટે…. : બયાને સાદગી સુનલો : ભલે ભૂપાલ ભગવત કી :

ગોંડલ રાજ્યના લોકોને જાણકારી હતી કે તેમના રાજવી બે ઘોડાની બગીમાં નગરયાત્રાએ નીકળતા હતા. પોતાના શાસનકાળમાં આ રાજવીને મોટરકારોની કમી ન હતી. પરંતુ ખુલ્લી બગીમાંથી ખુલ્લી આંખે નગરની દરેક બાબતનું વિશેષ સ્પષ્ટ દર્શન થઇ શકે. બગીની ઝડપ પણ કારના પ્રમાણમાં ઓછી હોય તેથી જે બાબતો જુએ તેની સુરેખ છાપ મનમાં નોંધી શકાય તેવી પણ આ... Continue Reading →

: વાટે…. ઘાટે…. : મદ ના કર મનમેં મિથ્યા ધનમેં જોર બદનમે જોબનમે :

લોકસાહિત્યના આજીવન ઉપાસક અને ભાતીગળ કથા-કાવ્યોના સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી હમેશા એ વાતની ચિંતા કરતા કે વાત માંડનારા – વાર્તા કરનારા કસબીઓ ઓછા થતા જાય છે. મેઘાણીભાઇની ચિંતા સકારણ હતી. સમગ્ર શ્રોતાગણને પોતાની કહેણીની શૈલીથી ઝકડી રાખે તેવા મેઘાણંદબાપા જેવા વાર્તાકારો શોધવા જઇએ તો પણ મળે તેમ નથી. આથી આ ચિંતાની વાત તથા પોતાની લાગણી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑